Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાજ્યમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : નવા 555 કેસ નોંધાયા : વધુ 482 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એક દર્દીનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 4416 : કુલ 2,66,313 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 5 જિલ્લામાં એકપણ કેસ નહીં :રાજ્યમાં વધુ 89,447 લોકોને રસી અપાઈ

રાજ્યમાં આજે અમદાવાદમાં 129 કેસ,વડોદરામાં 102 કેસ, સુરતમાં 100 કેસ,રાજકોટમાં 44 કેસ, પંચમહાલમાં 18 કેસ, આણંદમાં 16 કેસ, ભાવનગરમાં 15 કેસ, ગાંધીનગર ખેડામાં 14-14 કેસ, સાબરકાંઠામાં 12 કેસ,ભરૂચ અને કચ્છમાં 11-11 કેસ, દાહોદમાં 10 કેસ,જૂનાગઢ અને મહીસાગરમાં 9-9 કેસ, જામનગરમાં 8 કેસ નોંધાયા :રાજ્યમાં હાલમાં 3212 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 500ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 555 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 482 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 555 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 482 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,66,313 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં  મૃત્યુઆંક 4416 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 97,22 થયો છે

    રાજ્યમાં હાલ 3212 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3171 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,66,313 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 15,01,253 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 3,56,654 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની વાય વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 89,447 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું

  રાજ્યમાં આરોગ્યવિભાગની અસરકારક કામગીરીને કારણે આજે રાજ્યના બનાસકાંઠા, બોટાદ , ડાંગ , પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ પાંચ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 555 પોઝિટિવ કેસમાં અમદાવાદમાં 129 કેસ,વડોદરામાં 102 કેસ, સુરતમાં 100 કેસ,રાજકોટમાં 44 કેસ, પંચમહાલમાં 18 કેસ, આણંદમાં 16 કેસ, ભાવનગરમાં 15 કેસ, ગાંધીનગર ખેડામાં 14-14 કેસ, સાબરકાંઠામાં 12 કેસ,ભરૂચ અને કચ્છમાં 11-11 કેસ, દાહોદમાં 10 કેસ,જૂનાગઢ અને મહીસાગરમાં 9-9 કેસ, જામનગરમાં 8 કેસ નોંધાયા છે

(7:51 pm IST)