Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સુરતના સરથાણા વિસ્તારમાં નજીવી બાબતે થયેલ ઝઘડામાં પરિચિત યુવકને છોડાવવા વચ્ચે પડેલ યુવાન મિત્ર પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના સરથાણામાં શ્યામધામ મંદિર પાસે શનિવારે સવારે બીડી માંગવાના મુદ્દે થયેલા ઝઘડામાં પરિચિત વ્યક્તિએ યુવાનો ઝઘડો થયો હતો જેમાં છોડાવવા ગયેલા યુવાનના મિત્રને પીવીસી પાઇપ માર્યો હતો બાદમાં પરિચિત વ્યક્તિએ ધક્કો મારતા નીચે પડી ગયા બાદ યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.

પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભરવાડ ફળીયામાં રામકૃષ્ણ કોલોનીમા રહેતો ૨૩ વર્ષીય મઘા રણછોડભાઈ સાટીયા શનિવારે સવારે સરથાણાના શ્યામઘામ મંદિર પાસે લાયન સર્કલ પાસે કામ અર્થે ગયો હતો ત્યારે ત્યાં પરિચિત વ્યક્તિ સાથે બીડી માંગવાના મુદ્દે તેની ઝપાઝપી થઇ હતી જેથી મઘા ને છોડાવવા તેના મિત્ર અજય વચ્ચે પડ્યો હતો જેથી તેણે તેના મિત્રના જમણા હાથમાં પીવીસી પાઇપ માર્યો હતો બાદમાં પરિચિત વ્યક્તિએ મઘાને ધક્કો મારતા જમીન પર જ ચિત્તા પડી ગયા હતા બાદમાં તે રહસ્યમય સંજોગોમાં બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

(5:46 pm IST)