Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાજ્યમાં ૨,૬૩૪ તલાટીની જગ્યાઓ ખાલી

રાજકોટ જિલ્લામાં ૧૩૭ પંચાયત તલાટીઓની ઘટ : નવી ભરતી માટે સરકારની વિચારણા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર,તા. ૮: વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરીમા રાજ્યમાં તલાટી-કમ મંત્રીની ઘટ અંગે પુછવામાં આવેલ પ્રશ્નના લેખિત ઉતરમાં પંચાયત મંત્રીએ જણાવ્યું હતુ કે રાજ્યમાં કુલ ૨૬૩૪ તલાટી -કમ મંત્રીઓની ઘટ છે.

રાજ્ય સરકારે બહાર પાડેલ આ જગ્યાની ઘટમાં સૌરાષ્ટ્ર તરફ ધ્યાન આપીએ તો અમરેલી જિલ્લામાં ૧૫૧, ભાવનગરમાં ૧૬૦, દેવભૂમિ દ્વારકામાં ૭૨, ગીર સોમનાથમાં ૭૮, જામનગરમાં ૧૧૭, જૂનાગઢમાં ૧૪૩, મોરબીમાં ૫૦, પોરબંદરમાં ૪૧, રાજકોટમાં ૧૩૭, સુરેન્દ્રનગરમાં ૧૩૭નો સમાવેશ થાય છે.

 આ ઘટ પુરવા સરકાર દ્વારા સીધી ભરતી અંગે વિચારણા કરવામાં આવી છે. અને નજીકના ગામના તલાટીને ચાર્જ સુપ્રત કરી હાલની સ્થિતીએ કામગીરી લેવામાં આવે છે.

(5:01 pm IST)