Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજ્યમાં બે આઈ.એ.એસ અધિકારીઓની બદલી

અમદાવાદ :રાજ્યમાં આઈ.એ.એસ અધિકારીઓના બદલીના દોર યથાવત જોવા મળી રહ્યાં છે. આજે ફરી રાજ્યમાં બે આઈ.એ.એસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં આઈ.એ.એસ બી.પી.ચૌહાણને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે. બી.પી.ચૌહાણની ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટથી બદલી કરાઈ છે.

IAS અધિકારીઓના બદલીના દોરમાં વધુ બે અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં આઈ.એ.એસ બી.પી.ચૌહાણને ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટથી બદલી કરીને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે જ્યારે આઈ.એ.એસ બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે

શ્રી બી.પી.  ચૌહાણ, IAS (SCS:GJ:2009), નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને સરકાર, સામાન્ય વહીવટ (NRI અને ART), સચિવાલય, ગાંધીનગરના અધિક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  (2) શ્રી બી.એમ.  પ્રજાપતિ, IAS (SCS:GJ:2014) એ વધારાના ઉદ્યોગ કમિશનર, ગાંધીનગર (IAS કેડર પોસ્ટ) તરીકે શ્રી આર.આર. ડામોર, IAS ને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરીને નિમણૂક કરવામાં આવી છે.

(11:17 pm IST)