Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સુરતમાં બે દેરાસરમાં પુજારીની નજર ચૂકવી ગણતરીની કલાકોમાં ચોરે ભગવાનની મૂર્તિ સહીત 52000ની મતાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

સુરત:અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા બે દેરાસરમાં પૂજારીની નજર ચૂકવી ગણતરીના કલાકોમાં શ્રાવકનાં સ્વાંગમાં ચોરે ભગવાનની બે મૂત અને ચાંદીના બે કળશ મળી કુલ રૂ.૫૨,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી.પખવાડિયા અગાઉની આ ઘટનામાં ટ્રસ્ટીઓએ જાતે સીસીટીવી ફૂટેજ ચેક કરી ચોરને ઓળખવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે શક્ય ન બનતા આખરે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અઠવાલાઇન્સ સરગમ શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલા કુંથુનાથ ટાવર ફ્લેટ નંબર ૭/એફ માં રહેતા ૫૦ વર્ષીય વેપારી પરેશભાઈ ભોગીલાલ શેઠ સરગમ શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલા કુંથુનાથ જૈન દેરાસરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. 

(4:11 pm IST)