Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કોંગેસ ઉમેદવાર જંયતી પટેલે વિજયોત્સવમાં ફટાકડા ના ફોડવા અને મીઠાઈ ના વેચવા અપીલ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્રિપાંખિયા જંગમાં પ્રત્યેક પક્ષ જીતની અપેક્ષા કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના મોરબી- માળિયા બેઠકના ઉમેદવાર જયંતિ પટેલે કોંગી કાર્યકરોને જીત બાદ ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે વિજય સરઘસમાં ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી.

આ અંગે જયંતિ પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે પરિણામ જાહેર થશે.ઝૂલતાપુલની દુર્ઘટનાને આજે પણ મોરબી વાસીઓ ભૂલી શક્યા નથી મતદાન થતું હતું એ વખતે કોંગ્રેસે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરી હતી, ફૂલહાર પહેર્યા ન હતા ફટાકડા પણ ફોડ્યા ન હતા. આવતીકાલે જ્યારે પરિણામ જાહેર થશે અને કોંગ્રેસની જીત થશે ત્યારે પણ તેઓ કોંગ્રેસના કાર્યકરો નેતાઓ આગેવાનોને અપીલ કરે છે કે ઝૂલતા ભુલની ગોઝારી દુર્ઘટનાને ધ્યાને લઈને ફટાકડા ન ફોડીએ અને શાંતિપૂર્ણ રીતે વિજય સરઘસ કાઢવામાં આવે જેથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મોક્ષ મળે એમની આત્માને શાંતિ મળે તેવું તેમણે જણાવ્યું હતું.

 

(2:46 pm IST)