Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

અનિતા કરવાલ, સંજય નંદન, પંકજ જોષી અને અનુરાધા મલ્લને અધિક મુખ્ય સચિવ પદે બઢતી

અમદાવાદ,તા.૭: રાજયના ૧૯૮૮ અને ૧૯૮૯ બેચના ૪ IAS અધિકારીઓને અગ્ર સચિવ પદેથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. આ અધિકારીઓને હાલની જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે.બઢતી અપાયેલ છે.

તે અધિકારીઓમાં અનિતા કરવલ (૧૯૮૮) ચેર પરસન સીબીએસઈ નવી દિલ્હી) સંજય નંદન (૧૯૮૮) એમ ડી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન) અનુરાધા મલ (૧૯૮૮) સીઇઓ, જીએસડીએમએ ગાંધીનગર) અને પંકજ જોશી (૧૯૮૯) અગ્ર સચિવ ઊર્જા) નો સમાવેશ થાય છે.

(11:51 am IST)