Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પાલનપુરમાં કબૂતરનો શિકાર કરનાર નરાધમને પોલીસે ઝડપ્યો

પાલનપુર: ગુરુનાનક ચોક વિસ્તારમાં ગીરધર પટેલ માર્ગ પર કેટલાક ઝાડો અન ેદુકાનો ઉપર પરોઢીયે માળામાં બેઠેલા શાંતીદૂત ગણાતા કબૂતરો કેટલાક યુવાના ગીલોલ જેવા પથ્થરોથી ૧૫ જેવા કબુતરોનો શિકાર કરી હત્યા કરી થેલામાં ભરી લઈ જતા જીવદયા પ્રેમીઓના હાથે ઝડપાઈ ગયા હતા.

જેમણે આ મામલે વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તે સમયે કેટલાક યુવાનો ભાગી છુટયા હતા. એક યુવાન ઝડપાઈ જતા તેની સામે ફરિયાદ નોંધાવવા આ કાફલો પૂર્વ પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદ લેવાની તજવીજ કરી હતી.

 

 

(5:37 pm IST)