Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સુરતમાં વેસુથી નાનપુરા સુધી હિન્દુ સ્વાભિમાન રેલી: પાંડેસરામાં અટકાવાઈ :20થી વધુ લોકોની અટકાયત

સુરત: સુરતમાં અખિલ ભારત હિન્દુ યુવા મોર્ચા દ્વારા હિન્દુ સ્વાભિમાન રેલીનું આયોજન થયું હતું રેલીમાં રામ મંદિરના મુદ્દાને લઇને કાઢવામા આવી હતી આ રેલી વેસુથી નાનપુરા સુધી પહોંચનારી હતી.જો કે રેલી જ્યારે પાડેસરા વિસ્તારમા પહોંચી ત્યારે તેને પોલીસ દ્વારા અટકાવવામા આવી હતી.

 

  રેલીની પરમિશન લેવામા ન આવી હોવાનું કારણ જણાવતા રેલીમાં જોડાયેલા કાર્યકરોએ પોલીસ સાથે જીભાજોડી શરુ કરી દીધી હતી. બાદમા પોલીસે પણ રેલી પર હળવો લાઠીચાર્જ કરી લોકટોળાને વિખેરી કાઢ્યુ હતુ. પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી પાંડેસરા પોલીસ મથકે લઇ જવામાં આવ્યાં હતાં.

(9:05 pm IST)