Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઠાસરાના ઓઝરાળામાં મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું : ખેતરોમાં પાણી ઘુસી વળ્યાં: પાકને ભારે નુકશાન

ઠાસરા: તાલુકાના ઓઝરાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં ગઈ કાલે ગાબળુ પડયુ છે. ઓઝરાળા થઈ વજેવાલ મુગઢપુરા તરફ જતી સબ કેનાલમાં ગાબળુ પડતા ખેતરોમાં પાણી ઘુસી ગયાં છે. જ્યાં ખેડૂતોને શિયાળુ પાકને ભારે નુકશાન થયુ છે.

તંત્રની અણઆવડત અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતી વધુ એક ઘટના ઠાસરા મુકામે બનવા પામી છે. ઠાસરાના ઓઝરાળા ગામે નર્મદા કેનાલની સબ માઈનોર કેનાલ કકડભૂસ થઈ ગઈ છે. ઓઝરાળાથી વજેવાલ-મુગઢપુરા તરફની કેનાલમાં કકડભૂસ થતાં ભારે ચકચાર જાગી છે.  કેનાલમાં ગાબડુ પડતાની સાથે આસપાસના ૮થી ૧૦ વીઘા જમીનમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. તેમજ તમામ ખેતરો પાણીથી જળબંબાકાર થઈ ગયા છે. 

(5:31 pm IST)