Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગાંધીનગરના અક્ષરધામમાં 10 હજાર દીવડા પ્રગટયા : પ્રકાશપર્વની દિવ્ય ઉજાવણી : લાભ પાંચમ સુધી હરિભક્તોને દર્શનનો મળશે લાભ

દીવડાથી શુશોભીત મંદિર અને શાંતિમય વાતાવરણની અનુભૂતનો દુર્લભ લ્હાવો

ગાંધીનગરઃ દિવાળીના પર્વ નિમિતે ગાંધીનગરના અક્ષરધામમાં 10 હજાર દિવળા પ્રગટાવી પ્રકાશ ફેલાવવામાં આવ્યો હતો છેલ્લા 26 વર્ષથી આ મંદિરમાં આજ પ્રકારે દીવડા કરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે રોશની તેમજ દીવડાના દર્શનનો લાભ હરિભક્તોને પાંચમ સુધી મળશે

  .  લાભ પાંચમના દિવસે અક્ષરધામનો જન્મદિવસ હોવાથી તે દિવસે પણ અદભુત આયોજન કરવામાં આવે છે. આ દીવડાથી શુશોભીત મંદિર અને શાંતિમય વાતાવરણની અનુભૂતિ થાય છે. મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો રોશની જોવા આવ્યા હતા

(11:54 pm IST)