Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગુજરાતમાં થશે યુપીવાળી ?અમદાવાદનું નામ કર્ણાવતી ક્યારે ? નીતિનભાઈએ કહ્યું યોગ્ય સમયે યોગ્ય નિર્ણંય થશે

અમદાવાદ :યુપીમાં બહુમતીછી ચૂંટાયેલી ભાજપ સરકારે ફૈજાબાદનું નામ અયોધ્યા કર્યુ અને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી દીધુ છે ત્યારે ગુજરાતમાં બે દશકથી વધુ સમયથી રાજ કરતી ભાજપની સરકારે હજુ અમદાવાદનું નામ કર્ણાવતી કર્યું નથી ત્યારે ફરી એકવાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગ ઉઠી છે.

 

    જો કે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને સવાલ કરવામાં આવતા તેમણે ગોળગોળ જવાબ આપતા જણાવ્યું હતું, યોગ્ય સમય આવશે એટલે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

(9:38 pm IST)