Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અંબાજી પદયાત્રીઓ માટેના સેવા કેમ્પની મુલાકાત લેતા મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ્નુંએ આયોજન

 

ગાંધીનગર શહેર ભાજપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે બનાવેલ સેવા કેમ્પની મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લીધી હતી 

   પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ થશે. જેને પગલે અંબાજીમાં આજથી મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજી મેળાના આગલા દિવસે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને અંબાજી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે

   અંબાજી ખાતે મેળો આગામી 9 સપ્ટેમ્બરથી 15 તારીખ સુધી ચાલશે. જેમાં તંત્ર દ્વારા યાત્રીઓ માટે જમવાની સુવ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે વખતના અંબાજી મેળામાં યાત્રીઓ માટે સૌ પ્રથમ વખત ટેન્ટ સીટી બનાવવામાં આવી છે.

(12:47 am IST)