Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમદાવાદના ઓઢવમાં ગણેશ વિસર્જનમાં જવું બે સગા ભાઈઓને ભારે પડ્યું: નદીમાં મૂર્તિ પધરાવવા જતા પાણીમાં ગરકાવ: બંનેના મોતથી પરિવારમાં શોકની લાગણી

અમદાવાદ: શહેરના ઓઢવમાં રહેતા વાઘેલા પરિવારે તેમના ઘરે ગણેશ સ્થાપના કરી હતી. દરમિયાન ભાટ ટોલટેક્ષ પાસે નદીમાં મુર્તી પધરાવવા ગયેલા બન્ને સગા ભાઈ પાણીમાં ડુબી જતા તેમના મોત નીપજ્યાં હતા. ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર જવાનોએ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બનાવને પગલે ળાગેલા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.   બનાવની વિગત મુજબ ઓઢવમાં એસ.પી.રિંગરોડ પર આવેલી શ્રીમંધ સોસાયટીમાં રહેતા વાઘેલા પરિવારના ઘરે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. સપ્ટેમ્બરના રોજ  સાંજે વાઘેલા પરિવાર મૂર્તિ વિસર્જન કરવા માટે ભાટ ટોલટેક્ષ પાસે આવેલી નદીમાં મુર્તિ વિસર્જન માટે પહોચ્યો હતો. પ્રદુષણ અને ઉંડા ખાડાઓને કારણે નદીમાં મૂર્તિ  વિસર્જન માટે પ્રતિબંધ મુકાયેલો છે.

(5:11 pm IST)