Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મધરાત્રે અમીરગઢમાં વાડામાંથી 82 બકરાની ચોરી: પશુપાલકની ફરિયાદ: બકરાં ચોરની શોધખોળ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ગત  રાત્રીએ એક પશુપાલકના વાડામાંથી વાડામાંથી 82 બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પશુપાલકે લેખિત ફરિયાદ કરતાં અમીરગઢ પોલીસે બકરા ચોરની શોધખોળ હાથ ધરી છે

 આ અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠાના અમીરગઢમાં  રહેતા રબારી જોરાજી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા હતા ગત મોડી રાત્રે તેઓ તેમની માલિકીના 150 બકરા વાડામાં રાખી પોતાના પરિવાર સાથે મકાનમાં સુઇ રહ્યા હતા.

 આ દરમિયાન અજાણ્યા શખ્સો રાત્રિના સમયે તેમના વાડામાંથી 82 બકરાઓ ની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે આ બનાવ અંગેની જાણ થતાં જ જોરાજી રબારીએ તાત્કાલિક અમીરગઢ પોલીસને જાણ કરી હતી અને લેખિત ફરિયાદ કરતા અમીરગઢ પોલીસે અજાણ્યા બકરા ચોર ની શોધખોળ હાથ ધરી છે

(10:33 pm IST)