Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ખેડૂતોમાં દેવા માફી મામલે રાજ્યભરમાં કોંગ્રેસના પ્રતીક ઉપવાસ

અમદાવાદ: ખેડૂતોની દેવા માફીને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ ગુરૂવારે સીએમ વિજય ભાઈ  રૂપાણીને આવેદન આપીને ખેડૂતોના દેવા માફી અંગે રજૂઆત કરી હતી અને ચીંમકી ઉચ્ચારી હતી કે, જો ખેડૂતોનું દેવું માફ નહિં થાય તો ગુજરાત કોંગ્રેસ 24 કલાકનું ઉપવાસ આંદોલન કરી ભાજપ સરકારનો વિરોધ કરશે. તે મૂજબ આજે સવારથી જ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કોંગ્રેસનો ઉપવાસ કાર્યક્રમ શરૂ થઇ ગયો છે.  

(1:23 pm IST)