Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમદાવાદમાં સ્વાઇન ફલૂનો ફૂંફાડો : ૪ મોત

સવા મહિનામાં ૪ મોત : ૧૪ નવા કેસ : ૮ મહિનામાં ૧૦ મોત : ૪૦ કેસ નોંધાયા

અમદાવાદ તા. ૭ : મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં ગઈકાલે અમરેલીના ૨૫ વર્ષના યુવાનનું સ્વાઇન ફલુથી મૃત્યુ થયું હતું. જયારે આજે બાવળા તાલુકાના ધંધુરાળા ગામના ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં ઓગસ્ટમાં ૩ અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ૧ મળીને કુલ ૪ મૃત્યુ નોંધાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં સ્વાઇન ફલુના ઓગસ્ટમાં ૧૨ દર્દીઓ નોંધાયા હતા. તેમાંથી ૩ના મૃત્યુ થયા છે, જયારે સપ્ટેમ્બરમાં પહેલા પાંચ દિવસમાં જ ૨ દર્દી નોંધાયા છે તેમાંથી ૧નું મૃત્યુ થયું છે. જયારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન સ્વાઇન ફલુના કુલ ૪૦ દર્દી નોંધાયા હતા તેમાંથી ૧૦ના મૃત્યુ થયા છે. આ જોતાં મરણનો રેશિયો ૨૫ ટકા જેટલો ઉંચો નોંધાયો છે. આ જોતાં આગામી મહિનાઓમાં અને ખાસ કરીને ઠંડીની ઋતુમાં કેસોની સંખ્યા વધશે તેમ જણાય છે.(૨૧.૬)

 

(12:14 pm IST)