Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં મહેસાણાના કેશરગંજના ૭૨ બાળકોએ કરાવ્યાં મુંડન

વિજાપુરમાં ૧૪ પાટીદારોએ મુંડન કરાવ્યું હતું

મહેસાણા તા. ૭ : પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગ સાથે છેલ્લા ૧૩ દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં તેમજ હિંમતનગરના ગઢોડા પાસે મા ઉમાના રથને અટકાવી પાટીદારો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજ આગળ આવ્યો છે. વિજાપુરમાં ૧૪ પાટીદારોએ મુંડન કરાવ્યું હતું. વડાલીના કેશરગંજમાં ૭૨ પાટીદાર બાળકોએ મુંડન કરાવ્યું હતું. (૨૧.૫)

 

(12:10 pm IST)