Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

SC-ST કાયદાના વિરોધમાં વિસનગરમાં પથ્થરમારોઃ અમદાવાદમાં પાંચની અટકાયત

ભારત બંધની ગુજરાતમાં ખાસ મોટી કોઈ અસર નહીં

રાજકોટઃ એસ.સી.-એસ.ટી. કાયદાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને પગલે ગુજરાતમાં કોઈ અસર વર્તાઈ હતી. ઉત્તર ગુજરાતમાં વિસનગરના કાંસા ગામે એસટી બસ પર પથ્થરમારો કરાયો હતો. રાજ્યમાં વિરોધ પ્રદર્શનની એકાદ બે ઘટનાને બાદ કરતા કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. જામનગરમાં સવર્ણોની રેલી નિકળેલ, ૫૦ની અટકાયત થયેલ. અમદાવાદમાં ઘાટલોડિયામાં સવર્ણોએ વેપારીઓને ગુલાબ વહેંચ્યા હતા. સવર્ણો દ્વારા ખાસ કોઈ એકતા ન હોવાને લીધે અને બીજા રાજ્યોના બંધના એલાન આપનાર સાથે સંકલન નહિ હોવાથી ગુજરાતમાં ભારત બંધના એલાનની અસર જોવા મળી ન હતી.

(12:08 pm IST)