Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

દાહોદ રેલવે સ્ટેશન પાસે ટ્રેન હેઠળ ઝંપલાવીને પ્રેમી પંખીડાનો આપઘાત

દાહોદઃ પ્રેમમાં વ્યક્તિ આંધળો બની જાય છે. તે શું કરી રહ્યો છે તેનું પણ ઘણી વખત તેને ભાન રહેતું નથી. દાહોદ રેલવે સ્ટેશન પાસે એક યુવક અને યુવતીનું ટ્રેન અકસ્માતે મોત નિપજ્યું છે. પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ દાહોલ રેલવે સ્ટેશનની ડાઉન રેલવે લાઈન પાસે સવારે 6 વાગ્યે પસાર એક પ્રેમી પંખીડાએ અગમ્ય કારણસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત બાદ પોલીસે તેમની પાસેથી મળેલા કાગળો, ફોટો અને મોબાઈલ ફોનના આધારે તેમની ઓળખ કરવાની તપાસ હાથ ધરી છે. હાલમાં કપલે શા માટે આપઘાત કર્યો તે અંગો કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ તેમની અંદાજીત ઉંમર 15 થી 20 વર્ષ સુધીનો હોવાનું પોલીસ જણાવી રહી છે. મામલે પોલીસ તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે.

(6:02 pm IST)