Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 768 નવા કેસ નોંધાયા:વધુ 899 દર્દીઓ સાજા થયા:આજે ત્રણ દર્દીઓના મૃત્યુ થયા :કુલ મૃત્યુઆંક 10,977 થયો : કુલ 12.44.388 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 1.17.842 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 5895 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 768 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 899 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.44.388 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે, રાજકોટ કોર્પોરેશનમાં બે દર્દી અને સુરતમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.977 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.66 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 1.17.842 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.87.05.548 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 5895 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 21 દર્દી વેન્ટિલેટર પર છે,અને 5874 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 768 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 230 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 68 કેસ, ગાંધીનગરમાં 58 કેસ, મહેસાણામાં 55 કેસ, વડોદરામાં 45 કેસ, સુરત કોર્પોરેશનમાં 40 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 34 કેસ,અમરેલી અને સુરતમાં 28-28 કેસ, રાજકોટમાં 26 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 25 કેસ, બનાસકાંઠામાં 21 કેસ, ભરૂચમાં 18 કેસ, કચ્છ અને સાબરકાંઠામાં 14-14 કેસ, નવસારી અને પાટણમાં 9-9 કેસ,જામનગર કોર્પોરેશનમાં 8 કેસ, અમદાવાદ અને મોરબીમાં 7-7 કેસ,વલસાડમાં 6 કેસ, ખેડામાં 3 કેસ, આણંદ ,ભાવનગર કોર્પોરેશન અને તાપીમાં 2-2 કેસ, ભાવનગર, ગીર સોમનાથ અને જામનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:10 pm IST)