Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

વિરમગામી ભુદેવ ગ્રુપ દ્વારા શ્રી સેરેશ્વર મહાદેવ ખાતે દર્શન મહાપૂજા અને પ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું

મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પીતાંબર અર્પણ કરી સન્માન અભિવાદન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદના વિરમગામી ભુદેવ ગ્રુપ દ્વારા તા.૦૭, ઓગસ્ટને રવિવારના શ્રાવણ સુદ દશમના રોજ ઇષ્ટદેવ શ્રી સેરેશ્વર મહાદેવ ખાતે દાદાના દર્શન મહાપૂજા અને પ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું‌ હતું. શ્રી સેરેશ્વર મહાદેવ ખાતે  સવારે સભ્યોનો પરિચય, મુલાકાત અને દાદાના દર્શન અને  પુરુષ સભ્યો માટે દાદા ને જળ અભિષેક પુષ્પ અને બિલ્લી પત્ર ચડાવવાનો સમય રાખવામાં આવ્યો હતો. જળ અભિષેક અને પુષ્પ બીલી પત્ર ચઢાવવા માટે દાદાના ગર્ભગૃહમાં ફક્ત પુરુષ સભ્ય પીતાંબર પહેરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજાધિરાજ દાદા ની મહાપૂજા, થાળ, પ્રસાદ અને આરતી, સેરેશ્વર દાદાના દર્શન મહાપૂજા પ્રસાદ ભંડારાના કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પીતાંબર અર્પણ કરી સન્માન  અભિવાદન કરવામાં આવ્યું હતું.

(7:04 pm IST)