Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

કેજરીવાલ વડોદરા પહોંચ્યા :કહ્યું- અમે રેડ રાજ ખતમ કરીશું અને વેપારીઓને સુરક્ષા આપવાની અગત્યનું કામ કરીશું.

કેજરીવાલે કહ્યું કે અમને વેપારીઓએ કહ્યું, ગુજરાતમાં સરકાર અમને ડરાવે છે, રાજ્યમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અમારી સરકાર આવશે તો અમે વેપારીઓને નહિ ડરાવીએ

 

વડોદરા: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીનાસંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે )આવ્યા છે. આજે તેઓ જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરી હતી. જામનગર બાદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા પહોંચ્યા હતા, એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે હું જામનગરમાં વેપારીઓ સાથે અમે સંવાદ કર્યો હતો. વેપારીઓએ કહ્યું, ગુજરાતમાં સરકાર અમને ડરાવે છે, રાજ્યમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અમારી સરકાર આવશે તો અમે વેપારીઓને નહિ ડરાવીએ તેવું નિવેદન આપ્યું હતું. સાથે અમે રેડ રાજ ખતમ કરીશું અને વેપારીઓને સુરક્ષા આપવાની અગત્યનું કામ કરીશું.

- આમ આદમી પાર્ટીને વીજળી મફત આપવા, શિક્ષણ સારું કરવા, રોજગાર આપવા મત આપો તેવી આપીલ કરી હતી. સરકાર વિપક્ષના લોકોને જેલમાં નાખી રહી છે અને જેલમાં નાખીને દેશનો વિકાસ નહિ થાય તેવું કહી તમામ લોકોને સાથે રાખીને ચાલવું પડશે, તો દેશનો વિકાસ થશે તેવું નિવેદન આપ્યું હતું.

(12:40 am IST)