Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

શ્રેય અગ્નિકાંડ : માસ્ક ખસતા ઓક્સીઝ્ન હવામાં ફેલાયો અને આગ વિકરાળ બની

હવામાં ઓક્સિજન ફેલાવવા ઉપરાંત આઈસીયુ વોર્ડમાં રાખેલા સેનિટાઇઝરની બોટલોના કકારણે આગ બેકાબુ

 

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. જેમાં 8 લોકોનાx મોત થયા હતા. હવે માહિતી મળી છે કે આઈસીયુ વોર્ડમાં ઓક્સિજન હવામાં ફેલાતા આગ ભડકી ઉઠી હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

શ્રેય હોસ્પિટલમાં 7મી ઓગસ્ટે પરોઢે લગભગ 3 વાગે આગ લાગી હતી. જેમાં 8 દર્દી ભડથું થઈ ગયાં હતાં. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શોટસર્કિટ દ્વારા લાગેલી આગથી બેડ નં 9ના દર્દીના વાળ સળગ્યા હતા. દર્દીને બચાવવાના પ્રયાસમાં વોર્ડ બોયે પહેરેલી પ્લાસ્ટિકની PPE કીટ સળગી ગઈ હતી. જેના કારણે અફરાતફડી મચી હતી પરિણામે દર્દીઓને લગાવેલા ઓક્સિજન માસ્ક મોઢાં પરથી હટી ગયા હતા. જેથી ઓક્સિજન હવામાં ફેલાયું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

શ્રેય હોસ્પિટલની આગ મામલે પોલીસે તપાસ હાથ ધરી એફએસએલ(FSL), ફાયર સહિતની ટીમોની મદદ લીધી હતી. એફએસેલના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

પોલીસ તપાસ મુજબ હવામાં ઓક્સિજન ફેલાવવા ઉપરાંત આઈસીયુ વોર્ડમાં રાખેલા સેનિટાઇઝરની બોટલોના કારણે સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ

 

(11:46 pm IST)