Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ખેડા જિલ્લામાં સર્જાયેલ ત્રણ ગમખ્વાર અકસ્માતમાં ચારને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા:જિલ્લામાં પથાવત, વનીપુરા તેમજ કંજોડા સીમમાં સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ તાલુકાના ઓઢવ વિસ્તારમાં રહેતાં ભરતભાઈ જેસીંગભાઈ ઝાલા ગત રવિવારના રોજ મોડી સાંજના સમયે પોતાની મારૂતી ઓમની વાન ગાડી નં જીજે ૨૭ સીએમ ૨૨૯૩ લઈ મહેમદાવાદ તાલુકાના પથાવત ગામની સીમમાંથી જતાં હતાં. તે વખતે માર્ગ પર સામેથી રોંગ સાઈડે આવતી ઈકો ગાડી નં જીજે ૦૨ એક્સએક્સ ૪૭૩૩ના ચાલકે ભરતભાઈની ગાડીને ટક્કર મારી ગાડી લઈ ભાગી છુટ્યો હતો. આ અકસ્માતમાં વાનના ચાલક ભરતભાઈ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. 

(5:27 pm IST)