Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

આણંદના રુપાપુરામાં લગ્નની લાલચે કિશોરીને આદિવાસી યુવાન ભગાડી ગયો

આણંદ:શહેરના રૂપાપુરા ખાતે રહેતી મુળ દાહોદ જીલ્લાની એક કિશોરીને નજીકમાં જ રહેતો એક યુવાન લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે કિશોરીની માતાએ આણંદ શહેર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે. 

 


મળતી વિગતો અનુસાર રૂપાપુરા પાસે મુળ દાહોદ જીલ્લાના વડવા ગામનું આદિવાસી પરિવાર ૨૦-૨૫ વર્ષથી રહે છે અને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવી રહ્યું છે. આદિવાસી પરિવાર રહે છે ત્યાં પંચમહાલ જિલ્લાના લીમડી તાલુકાના રડીયાતપુરા ગામનો ઈનેશ વિઠ્ઠલભાઈ મોહનીયા આવતો-જતો હતો. દરમ્યાન તેણે પરિવારની ૧૪ વર્ષ અને ૬ માસની ઉંમર ધરાવતી કિશોરી સાથે પરિચય કેળવીને ગત બીજી ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે ભગાડી લઈ ગયો હતો. જેની આજદિન સુધી શોધખોળ કરવા છતાં પણ તે મળી આવી નહોતી જેથી કિશોરીની માતાએ આણંદ શહેર પોલીસ મથકે આવીને લેખિતમાં ફરિયાદ આપી હતી. 

 

(4:52 pm IST)