Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

અમદાવાદમાં સરખેજ જુહાપુરામાં ગેરકાયદે દબાણ હટાવાયા

સાણંદ સર્કલથી એપીએમસી સુધીના ચાર કિલોમીટરના રસ્તામાં દબાણ હટાવ કામગીરી

અમદાવાદ :સરખેજ જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સાણંદ સર્કલથી એપીએમસી સુધીના ચાર કિલોમીટરના રસ્તા પર આવતા તમામ દબાણો હટાવવાની  કામગીરી થઇ હતી જેમાં ટ્રાફિક અને ફૂટપાથ પર અડચણ રૂપ હોય તેવા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. આ રસ્તા પર અંદાજે 150 જેટલા એકમો એવા છે જ્યાં દબાણ કરવામાં આવ્યું હતું.

(12:15 pm IST)