Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અમદાવાદમાં કહેર સાથે રાજ્યમાં વકરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 717 નવા કેસ નોંધાયા:વધુ 562 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10,948: કુલ 12,21.244 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 71.478 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3879 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 717 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 562 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.21.244 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.948 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.80 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 71.478 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,17.71.081 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3879 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે,અને 3878 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 717 અમદાવાદ કોર્પોરેશન 309 કેસ, સુરત કોર્પોરેશન 88 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 31 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 29 કેસ, સુરતમાં 28 કેસ, મહેસાણામાં 25 કેસ, ભરૂચમાં 22 કેસ, વલસાડમાં 21 કેસ, પાટણમાં 19 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 16 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ,નવસારીમાં 14 કેસ,મોરબીમાં 13 કેસ, વડોદરામાં 12 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 8-8 કેસ, અમદાવાદ,ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં 7-7 કેસ, રાજકોટ અને સાબરકાંઠામાં 5-5 કેસ,અમરેલી, આણંદ ,ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ, જામનગરમાં 3 કેસ,અરવલ્લી અને ખેડામાં 2-2 કેસ, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન,જૂનાગઢ, પોરબંદર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે 

(7:43 pm IST)