Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

૧૨મી સોમવારે અમિતભાઇ સહપરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે, મંગળા આરતીમાં હાજરી આપશે

ગૃહમંત્રીશ્રીના ગુજરાત કાર્યક્રમમાં થયો ફેરફાર : ૧૦મીએ શનિવારે સાંજે અમદાવાદ આવશે : રવિવારે સાણંદમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે, આ પહેલા જાહેર કરાયેલા તેમના કાર્યકર્મમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અમિતભાઈ શાહ ૧૦ તારીખે સાંજે અમદાવાદ આવશે. ત્યારબાદ ૧૧ તારીખે બપોરે ૪ કલાકે સાણંદ એપીએમસી ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.

 સાણંદ બાવળા તાલુકાના ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે. જ્યારે ૧૭ કરોડના ખર્ચ નિર્માણ પામનાર ૮ કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ ૧૨ તારીખે પરિવાર સાથે અમિતભાઇ ભગવાન જગન્નાથના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે.

અમિતભાઈ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. અને આ વર્ષે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા અમદાવાદ આવી રહયા છે.

(5:26 pm IST)