Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મહેમદાવાદ તાલુકાના ઘોડાસર નજીક સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

મહેમદાવાદ:તાલુકાના ઘોડાસર ગામની પરણીતાના આપઘાતથી સમગ્ર પંથકમાં ચકાચર મચી છે. પરણિતાને સાસુ સસરા દ્વારા અવાર નવાર અસહ્ય ત્રાસ અપાતો હોવાથી પરણિતાએ આ પગલું ભર્યું હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.

મળતી વિગતો અનુસાર મહેમદાવાદ તાલુકાના પથાવત ગામે રહેતા શારદાબેન ઝાલાની નાની દિકરી સોનલના લગ્ન ચાર વર્ષ અગાઉ તાલુકાના જ ઘોડાસર ગામે થયા હતા. ઘોડાસર ગામે રહેતા જીતન્દ્રસિંહના દિકરા મહેશભાઇ સાથેના સોનલના લગ્ન શરુઆતમાં સરસ રીતે ચાલ્યા હતા. લગ્ન બાદ સોનલબેન સંયુક્ત પરિવારમાં રહેતા હતા.થોડા વર્ષો પરણીતાનો સંસાર સારી રીતે ચાલ્યો હતો.પરંતુ છેલ્લા બે વર્ષથી સસરા જીતેન્દ્રસિંહ અને સાસુ રમીલાબેન ઘરકામ બાબતે સોનલને અવાર નવાર ટોકતા હતા. ઘણી વખત આ બાબતે બોલાચાલી પણ થતી હતી. આ કારણે સોનલ વારંવાર પિયર જતી રહેતી હતી. પરંતુ તેણીના માતા-પિતા દિકરીને સમજાવીને  પરત સાસરીમાં મૂકી આવતા હતા.

થોડા સમય પહેલા મહેશભાઇ સોનલને પિયરમાં મૂકવા આવ્યા હતા.તે સમયે તેણીએ જણાવ્યુ હતુ કે સાસુ-સસરા ઘરકામ બાબતે હેરાનગતિ કરી ત્રાસ આપે છે. અને હવે તે કંટાળી ગઇ છે. જો કે થોડા સમય બાદ તેના સસરા જીતેન્દ્રસિંહનો ફોન આવતા સોનલને ફરી સાસરીમાં મૂકી આવ્યા હતા.તે સમયે સોનલના માતા પિતાએ સોનલને અલગ રહેવા દેવા માટે જીતેન્દ્રસિંહને વિનંતી કરી હતી. આથી સોનલ અને પતિ મહેશભાઇ ઘરના ઉપરના માળે રહેતા હતા.

(4:49 pm IST)