Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

નર્મદા જિલ્લામાં કોરોના બે કેસ નોંધાયા : ડેડીયાપાડાનો ૩૯ વર્ષીય પુરુષ અને વડિયાના ૬૮ વર્ષીય પુરુષ પોઝિટિવ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અનલોક બાદ નર્મદા જિલ્લાના કેવડિયામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું ત્યારબાદ દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં એક ડેડીયાપાડા માં અને એક રાજપીપળા પાસે વડિયા ગામમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

 નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૬૧ માંથી પોઝિટિવ કેસ નોંધાયા છે ડેડીયાપાડાના ઠાકોર ભાઈ રમણભાઈ ઓડ ઉંમર ૩૯ વર્ષ અને રાજપીપળા નજીક વડિયા ગામના ૬૮ વર્ષીય માધવ સિંઘ પરમાર પોઝિટિવ નોંધાયા છે નર્મદા જિલ્લા ના રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૦ દર્દી સારવાર હેઠળ છે આજદિન સુધી કુલ ૮૮ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે ઉપરાંત નર્મદા જિલ્લામાં કુલ ૯૮ કેસ કોરોનાના નોંધાયા છે આજે વધુ ૪૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે નર્મદા જિલ્લા માં ૧૩૧ વ્યક્તિ ફેસિલિટી કોરેન્ટાઈન માં છે તેમજ ૮૬ વ્યક્તિ હોમ કોરેન્ટાઈન માં છે.

(11:17 pm IST)