Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

કાંકરેજના રણાવાડા ગામે અંબાજી માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :શણગાર અને રોકડ રકમની ચોરી

દવે પરિવારની કુળદેવી અંબાજી માતાનું મંદિર ગામથી આશરે ૩૦૦ મીટર દૂર

 

કાંકરેજ તાલુકાના રણાવાડા ગામે દવે પરિવારના કુળદેવી અંબાજી માતાજીના મંદિરમાંતસ્કરો ત્રાટકી માતાજીના શણગાર રોકડ રકમ ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે.

  અંગે મળતી વિગત મુજબ કાંકરેજ તાલુકાના રણાવાડાના દવે પરિવારની કુળદેવી અંબાજી માતાનું મંદિર ગામથી આશરે ૩૦૦ મીટર દૂર ઉચરપીની વાટે આવેલ છે. મંદિરની પૂજા આરતી વગેરે પતાવી પુજારી પોતાના ઘરે મંદીરને તાળું મારીને આવેલ અને મંદિરમાં કોઈ હાજર હતું નહીં તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ મંદિરના દરવાજાથી અંદર પ્રવેશી મંદિરના તાળાનો નકુચો તોડી માતાજીના શણગારમાં પહેરાવેલ સોનાની ગિલેટ વાળો હાર એક તેમજ સોનાના ગિલેટ વાળી રામનામી નંગ એક જે બન્નેની કિંમત આશરે બે હજાર તથા માતાજીના પગે મુકવામાં આવેલ રોકડ રકમ લઈ ચોરો રફુચક્કર થઈ ગયેલ.દરમ્યાન વહેલા સવારે ૫ઃ૦૦ વાગે પુજારી આરતી કરવા ગયેલ તે વખતે જાણ થતા શિહોરી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.આથી શિહોરી પી.એસ.આઈ પી.જે જેઠવા સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

(11:04 pm IST)