Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

નડિયાદ તાલુકા નજીક નજીવી બાબતે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો

નડિયાદ: તાલુકાના જાવોલ નવાપુરામાં ગત તા.૪ની રાત્રે પાણીનો બગાડ કરવા બાબતે ઝઘડો થતાં પિતા પુત્રએ પડોશીને ધારીયું મારી ઈજા કરી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના જાવોલ નવાપુરામાં રહેતા ભગવાનસિંહ હરમાનસિંહ સોલંકીને ગત તા.--૧૮ની રાત્રે પુનમભાઈ શનાભાઈ સોલંકીએ નળમાંથી પાણીનો બગાડ કેમ કરો છો કહી ગમે તેમ ગાળો બોલતા હતા. જેથી ભગવાનસિંહે ગાળો બોલવાની ના પાડતા પુનમભાઈ સોલંકીએ ઉશ્કેરાઈ જઈ હાથમાનું ધારિયું ભગવાનસિંહને માથામાં મારી ઈજા કરી હતી.

બનાવ અંગે ભગવાનસિંહ હરમાનસિંહ સોલંકીની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે પુનમભાઈ હરમાનભાઈ તથા શનાભાઈ સોમાભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(7:09 pm IST)