Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દહેજની માંગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારનાર આણંદના સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: શહેરની સુરસાગર સોસાયટીમાં રહેતી એક પરિણીતાને તેના પતિ અને ઘરના સભ્યોએ દહેજની માંગણી ના સંતોષાતા શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પહેરેલા કપડે કાઢી મૂકતા આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાલેજ રોડ ઉપર આવેલી સુરસાગર સોસાયટીમાં રહેતી યાસ્મીનબાનુને તેના પતિ શકીલભાઈ સલીમભાઈ શેખ, સાસુ શહીદાબેન, સસરા સલીમભાઈ, દિયર સોહિલભાઈ, દેરાણી સીમાબેન તથા નણંદ રૂક્ષાનાબેન દ્વારા દહેજની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ માંગણી ના સંતોષાતા તેણી ઉપર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજરાવાનો ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને તેણીને પહેરેલા કપડે કાઢી મુકી હતી. આ અંગે યાસ્મીનબેને આણંદના મહિલા પોલીસ મથકે તમામ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
 

(7:08 pm IST)