Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગાંધીનગર સચિવાલયમાં વાલ્મીકી સમાજનું ટોળુ ઘુસી જતા તંગદીલીઃ અટકાયત

પોરબંદરઃ આજે બપોર બાદ ૪ વાગ્યા આસપાસ ગાંધીનગર ખાતે આવેલ સ્વર્ણીમ સંકુલ (સચિવાલય) ના ગેઇટ નં. ૧માં ૧૫૦ થી ૨૦૦ જેટલા વાલ્મીકી સમાજના આગેવાનો, કાર્યકરોના ટોળાએ તેઓની પડતર માંગણી સંદર્ભે રોષપુર્વક સરકાર વિરૂધ્ધ નારાબાજી કરી હતી. ટોળુ આગળ વધતું હતુ તે વખતે પોલીસે ટોળાને રોકતા ધકકા-મુક્કિના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો. જે  તસ્વીરમાં દર્શાય છે.

(5:35 pm IST)