Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

નિર્દયી જનેતાઃ અમદાવાદમાં પોતાનું પાપ છૂપાવવા માટે નવજાત બાળકીને મંદિરના ઓટલે તરછોડી દીધી

અમદાવાદઃ અદાવાદમાં એક કળયુગી માતા તેના નવજાત બાળકને મુકીને ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમા ચકચાર મચી ગઈ છે.

આ ઘટના અમદાવાદના દસ્ક્રોઈના હીરાપુર ગામની છે. કે જ્યાં એક જનેતા એ તેના કુખે જન્મેલા બાળકને પોતાનું પાપ છુપાવવા માટે મંદિરના ઓટલે તરછોડ્યું છે. આ નવજાત બાળકીને તેની માતા મંદિરના ઓટલે તરછોડીને ફરાર થઈ ગઈ છે. જો કે આ બાળકી મંદિરના ઓટલે હોવાની જાણ થતાં ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી આ બાળકીનો કબ્જો પોલીસે લઈ લીધો છે. અને ફરાર માતાને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.

બીજી તરફ આ અંગે ચાઈલ્ડ વેલ્ફેર વિભાગને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બાળકીને કોણ શા માટે અહીં તરછોડી ગયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો બાળકીનાં પરિવારજનો કે તેની જનેતા નો કોઈ પત્તો પોલીસને લાગ્યો નથી. જેથી તેની શોધખોળ ચાલી રહી છે.

(5:57 pm IST)