Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સુરતમાં કોરોનાથી વધુ એક દર્દીનું થયું મોત: સુરતમાં મૃત્યુઆંક 4 થયો

સુરત : સુરતમાં વધુ એક કોરોના દર્દીનું મોત થયું છે સુરતના 65 વર્ષીય રમેશચંદ્ર રાણા જે બેગમપુરાના ઝાંપા બજારના રહેવાસી હતા તેમનું આજે નિધન થયું છે. આ સાથે સુરતમાં 4 લોકોના મોત થયા છે.

કોરોનાથી બેગમપુરાના રમેશચંદ્ર રાણાનું મોત નીપજ્યું હતું  બે દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

(8:03 pm IST)