Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ગુજરાતમાં ધમણ ૧ વેન્ટીલેટરના સફળ પ્રયોગ-પરીક્ષણ બાદ પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ અને N-95 માસ્કનું ઉત્પાદન શરૂ

વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં સારવાર ઉપકરણોના નિર્માણથી ગુજરાત દેશને નવો રાહ ચિંધે છેઃ રાજયના ર૯ જિલ્લામથકોએ ૧૦૦ બેડની ડેડીકેટેડ કોરોના-કોવિડ હોસ્પિટલ તત્કાલ ઊભી કરવા ત્રણ વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપતા મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ,તા.૭:વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ની સારવાર માટે આવશ્યક વેન્ટીલેટરના રાજકોટની જયોતિ CNC દ્વારા ઉત્પાદનની સફળતાને પગલે ગુજરાતે વધુ બે  ઉપકરણો-સાધનોના નિર્માણ-ઉત્પાદનથી દેશને નવો રાહ ચીંધ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણને અટકાવવા સાથોસાથ આ રોગની સારવાર માટેના અકિલા ઉપકરણો સાધનો રાજયમાં ઉત્પાદિત થાય અને ગુજરાત આ વિકટ વેળાએ દેશનું રાહબર બને તે માટે તંત્રવાહકોને ઉપકરણ ઉત્પાદકો સાથે સંકલન માટે પ્રેરિત કર્યા હતા. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ અકીલા વિગતો આપતાં કહ્યું કે, કોરોનાના રોગગ્રસ્તોની સારવાર-સુશ્રષામાં રોકાયેલા તબીબો, મેડીકલ સ્ટાફને પર્સનલ પ્રોડકશન ઇકવીપમેન્ટ કિટનો અવશ્ય ઉપયોગ કરવો પડે છે. આવા ઇકવીપમેન્ટ કિટની વિશ્વભરમાં ખૂબ માંગ છે ત્યારે ગુજરાતમાં તેની પૂરતી ઉપલબ્ધિ થાય એટલું જ નહિ, ગુજરાતમાં ઉત્પાદિત આ કિટ કોરોના રોગગ્રસ્તોની સારવારમાં જોડાયેલા દેશના અન્ય તબીબો-મેડીકલ સ્ટાફને પણ મળી રહે તે માટે અરવિંદ મિલ્સ લીમીટેડ સાંતેજ અને સ્યોર સેફટી વડોદરા દ્વારા તેનું ઉત્પાદન થઇ રહ્યું છે તેમ અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.

તેમણે એમ પણ જણાવ્યું કે, કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપક થતું અટકાવવા અને આ સંભવિત રોગ સંક્રમિતોની તપાસ સારવાર કરતા તબીબોને સેલ્ફ સેફટી માટે N-95 માસ્કની જરૂરત રહે છે.

આવા N-95 માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઇ.આઇ.ટી. કાનપૂર પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા સેલ્યુઝ પ્રોડકટસ ચાંગોદર દૈનિક રપ હજાર માસ્કનું ઉત્પાદન કરે છે તેની વિગતો શ્રી અશ્વિનીકુમારે આપી હતી. મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, રાજયમાં ચાર મહાનગરોમાં ડેડીકેટેડ કોરોના-કોવિડ હોસ્પિટલ શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશો અનુસાર કાર્યરત થઇ છે.

હવે રાજયના ર૯ જિલ્લામથકોએ ૧૦૦ બેડની આવી કોવિડ હોસ્પિટલ તાત્કાલીક ધોરણે ટૂંક જ સમયમાં આગામી ૪-પ દિવસમાં શરૂ થાય તેની સંપૂર્ણ દેખરેખ અને વ્યવસ્થાઓ માટે ત્રણ વરિષ્ઠ સચિવોની કમિટીને મુખ્યમંત્રીએ જવાબદારી સોંપી છે.

આ સંદર્ભમાં વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના વડપણમાં અગ્ર સચિવ જે.પી.ગુપ્તા અને મુકેશ કુમારને જવાબદારી સોંપી છે તેમ પણ અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીના સચિવએ રાજયમાં લોકડાઉનની ૧૩માં દિવસની સ્થિતીની વિગતો આપતાં જણાવ્યું કે, રાજયમાં સોમવારે ૧૯૯ લાખ લીટર દૂધની આવક અને ૪૬ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે.  શાકભાજી અને ફળફળાદિની ઉપલબ્ધિની વિગતોમાં અશ્વિનીકુમારે જણાવ્યું કે, ૬પ૩ર૭ કવીન્ટલ શાકભાજીનો જે આવરો થયો છે તેમાં બટાટા ૧૬૯૭૧, ડુંગળી ૧૮૩ર૭ અને અન્ય લીલા શાકભાજી ર૪૯૭પ કવીન્ટલ છે. ૩૯૯ કવીન્ટલ સફરજન, ૧૩૧૮ કવીન્ટલ કેળાં અને ૧રર૯૯ અન્ય ફળફળાદિ સાથે ૧૪૦૧૭ કવીન્ટલ ફળોની આવક થઇ છે.

તેમણે રાજયમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં પણ નગરો-મહાનગરોના વોર્ડસ-શેરીઓમાં સાફ સફાઇ જળવાઇ રહે તે માટે સ્થાનિક સત્ત્।ાતંત્રના આયોજનની પણ વિગતો આપી હતી.

અશ્વિનીકુમારે આ અંગે જણાવ્યું કે, ૮ મહાનગરો અને ૧૬ર નગરપાલિકાઓના ૧૪૦૬ વોર્ડઝમાં ડોર ટુ ડોર કલેકશન, શેરી સફાઇ વગેરે માટે ૪૦ હજારથી વધુ સફાઇકર્મીઓ ફરજરત છે.

નાગરિકો-પ્રજાજનોને હાલની સ્થિતીમાં પણ જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાએ ઘેર બેઠા મળી રહે તે માટે નગરો-મહાનગરોમાં મળીને કુલ ૮૬૭ સુપર માર્કેટસને હોમ ડીલીવરી માટે પરવાનગી આપવામાં આવી છે. આ માટે ૩પ૧૧ વાહનોની અવર-જવર માટે પણ મંજુરી અપાઇ છે તેમ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું.

રાજયમાં ૧૬૦૪૩ કરિયાણા સ્ટોર્સ તથા પેટ્રોલ-ડિઝલ માટે ૮૪૮ ફિલીંગ સ્ટેશન્સ પણ નાગરિકોની સગવડતા માટે કાર્યરત રહ્યા છે.

અશ્વિનીકુમારે રાજયમાં નિરાધાર, નિૅંસહાય, વૃદ્ઘો અને એકલવાયું જીવન જીવતા તથા જરૂરતમંદ વ્યકિતઓને પ્રવર્તમાન સ્થિતીમાં બે ટાઇમ ભોજન પુરૃં પાડવા સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી અત્યાર સુધીમાં પ૦ લાખ ૮પ હજાર ફૂડ પેકેટસ વિતરણ થયા છે તેની પણ માહિતી આપી હતી.

(11:26 am IST)