Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

‘કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેંગે’ એર સ્ટ્રાઈક ઉપર મોરારિ બાપુ ‘ની વ્યંગવાણી

પાટીદાર નેતા નાનુભાઈ વાનાણી દ્વારા સીધો મારગ નામનું પુસ્તકનુ વિમોચન કરતા બાપુ

 

સુરત :સરકારના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને પાટીદાર નેતા નાનુભાઈ વાનાણી દ્વારા સીધો મારગ નામના પુસ્તકનું વિમોચન કથાકાર મોરારીબાપુના હસ્તે કરાયું હતું  નાનુભાઇ વાનાણી દ્વારા પોતાના જીવનના અનુભવો, કામો અને કાર્યપદ્ધતિ પર પુસ્તક લખાયુ છે

    મોરારીબાપુએ નાનુભાઈના પુસ્તક અંગે વાતો પણ કરી હતી, જોકે તેમને બધા વચ્ચે એર સ્ટ્રાઈક ઉપર પણ  નિવેદન આપ્યું હતું. બાપુએ કહ્યું હતું કે સરહદ પર શીશ આપનાર જવાનને હું સલામ કરું છું, એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠવનારાઓને બાપુએ જવાબ આપતા એક શેર કહ્યો હતો, મેરે પાંવ કે છાલો જરા લહુ તો ઉગલો, કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેંગે,

  મીડિયા સાથેની વાતચીતમાં વાતને આગળ વધારતા બાપુએ કહ્યું હતું કે દેશના સુરવીરો અને રાષ્ટ્રના ગૌરવને હાનિ પહોંચે તેવું કરવું જોઈએ, આવ સમયે રાષ્ટ્રમાં બધાએ નેક રહેવું જોઈએ એક રહેવું જોઈએ, સેના સામે સવાલ ઉઠાવે છે તેમને પણ ખબર છે તે શું કરી રહયા છે.

(1:22 am IST)