Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

સુરતના અમરોલી ,પાંડેસરા, લિંબાયત સહિતના વિસ્તારોમાં રાશનકાર્ડ ધારકો સાથે ગેરરીતિની બૂમ :આવેદનપત્ર પાઠવ્યુ

મળવાપાત્ર જથ્થો નહીં આપવા સાથે ગુણવત્તાયુક્ત અનાજધબડતાં હોવાનો આરોપ

સુરતના અમરોલી ,પાંડેસરા, લિંબાયત સહિતના વિસ્તારોમાં એપીએલ અને BPL રેશનકાર્ડ ધારકો સાથે ગેરરીતિ આચરવાની બૂમ ઉઠી છે.

   વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો નહીં આપવા સાથેસાથે. ગુણવત્તાયુક્ત અનાજ નો જથ્થો આવતો હોવા છતાં હલકી કક્ષાનું અનાજ આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

  દરમિયાન . કોંગ્રેસ સેવાદળની અધ્યક્ષતામાં રેશનકાર્ડ ધારકોએ જિલ્લા કલેકટર ખાતે મોરચો માંડીને પોતાની સમસ્યા સત્વરે દૂર કરવાની માંગ છે

(9:26 pm IST)