Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વડોદરાના વાઘોડિયામાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ અઢીલ લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:વાઘોડિયા રોડની ઉમા કોલોનીના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડા રૃપિયા ૫૫ હજાર મળીને કુલ રૃપિયા .૪૪ લાખની મત્તા ચોરી ગયા હતા. અંગેની વિગત એવી છે કે ઉમા કોલોનીમાં રહેતા પ્રમોદભાઈ જગન્નાથ ભાઈ ઉપાધ્યાય હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૪થી  તારીખે સવારે વાગ્યે તેઓ મકાન બંધ કરીને પરિવાર સાથે સંતરામપુર ગયા હતા. અને પાંચમી તારીખે સાંજે પરત આવ્યા હતા. તે દરમિયાન તસ્કરો મકાનના તાળા તોડીને સોનાનું મંગળસુત્ર, બુટ્ટી, વીંટી, તુલસીમાળા, ચાંદીના ૧૪ સિક્કા, કંદોરા, ચમચી, પાયલ અને રોકડા રૃપિયા ૫૫ હજાર મળીને કુલ રૃપિયા ,૪૪,૫૦૦ ચોરી ગયા હતા. જે  અંગે પ્રમોદભાઈએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:30 pm IST)