Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

અમદાવાદ કાલુપુર સ્‍વામિનારાયણ મંદિરના સ્‍વામી પરિણીત મહિલાને લઇને ફરાર થઇ જતા પરિવારના સભ્‍યોનો મંદિરે હોબાળો

અમદાવાદ: અમદાવાદનું કાલપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદ છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પરણિત મહિલાને લઈ ફરાર થઇ જતા સ્વામિનારાયણ સમુદાયમાં જોરશોરથી ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આજે પરણિત મહિલાના પરિવારના સભ્યો કાલુપુર મંદિર ખાતે આવી હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત સાધુની કરતુતને લઇ વિવાદમાં આવ્યુ છે. વખતે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી માધવ પ્રિયદાસ એક પરણિત મહિલાને લઇ ફરાર થઇ જતા સમગ્ર સંપ્રદાયમાં ચકચાર મચી જવા પામી છે. જેને લઇ સંપ્રદાય દ્વારા પણ તેમને ત્યાગી તરીકેનું નામ રદ કરવાનું જાહેર કરવામાં આવ્યુ છે.

ડાંગરવાની મહિલાને પરણિત હોવા છતાં સાધુ માધવ પ્રિયદાસ મહિલાને લઈ ફરાર થઈ ગયા છે. ત્યારે સમગ્ર મામાલે સાધુ અને પરણિતા મળતા પરિવારના સભ્યો આજે અમદાવાદ ખાતેના કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આવીને સ્વામીની શોધખોળ શરુ કરી હતી. મળી આવતા હોબાળો મચાવ્યો હતો ત્યારે મંદિરના સંચાલકો દ્વારા પોલીસને બોલાવતા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

(4:52 pm IST)