Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

આણંદ નજીક બેચરી કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

આણંદ: જિલ્લાના ઉમરેઠ તાબે બેચરી  ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી એક મૃતદેહ મળતા ચકચાર મચી હતી. આ મૃતદેહને પાણીની બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.જ્યારે ઉમરેઠ પોલીસ મથકે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસ હાથધરી છે.
આ ઘટનામાં ઉમરેઠ પોલીસના જણાવ્યા મુજબ ઉમરેઠ તાબે બેચરી ગામે પસાર થતી કેનાલમાં મંગળવારે સવારના સુમારે એક મૃતદેહ તણાઈ આવ્યો હોવાની માહિતી મળી હતી.જેથી પોલીસે સ્થળ પર જઈ કેનાલમાં તરતા મૃતદેહને પાણીની બહાર કાઢી તેને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપ્યો હતો. આ મૃતદેહની તપાસ કરતા સુરેલી ભોઇપુરા ગામે રહેતા જીતુભાઈ ભોઈનો હોવાની હકીકતો ખુલવા પામી હતી. જેથી પોલીસે તેમના પરીવારજનોને જાણ કરી મૃતદેહ સોંપવા માટેની કાર્યવાહી હાથધરી હતી. હાલ ઉમરેઠ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(7:02 pm IST)