Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રાજ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી :વધુ 2 દર્દી સ્વસ્થ થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :મૃત્યુઆંક 11.046 થયો :કુલ 12.66.605 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 3633 લોકોનું રસીકરણ કરાયું

રાજયમાં હાલમાં 9 કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી,આજે વધુ 2 દર્દી સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,66,605 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 3633 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.65,510 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 9 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી જયારે 9 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યમાં આજે નવો એકપણ કેસ નોંધાયો નથી

(8:25 pm IST)