Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સિરીયલ દિલ દિયાં ગલ્લાંમાં વીર વિશે મોટો ખુલાસો થતાં અમૃતાની દુનિયા પડી ભાંગે છે

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર પારિવારિક સિરીયલ દિલ દિયાં ગલ્લાં  ભાવનાત્‍મક મતભેતને લીધે પરિવારથી દૂર થવા વિશેની વાર્તા પર કેન્‍દ્રિત છે. શો ગેરસમજૂતી, ગેરસંદેશવ્‍યવહાર અને અકથિત શબ્‍દો ત્રણ પેઢી વચ્‍ચે કઈ રીતે મતભેદ પેદા કરે છે તે  પ્રકાશમાં લાવે છે. આગામી એપિસોડમાં દર્શકોને અમળતા (કાવેરી પ્રિયમ)ની ભાવનાત્‍મક અને નિર્બળ બાજુ જોવા મળે છે. તે વીર (પારસ અરોરા)ની અસલી ઓળખ જાણીને ભાંગી પડે છે, કારણ કે તે તેને હંમેશાં પોતાને સૌથી નજીકની વિશ્વાસુ તરીકે જોતી હોય છે અને તેના દ્વારા જ દગો થતાં તેને મોટો આંચકો લાગે છે.

અમળતાનું પાત્ર ભજવતી કાવેરી પ્રિયમ કહે છે, આગામી એપિસોડ મારા પાત્ર અમળતા માટે અત્‍યંત ભાવનાત્‍મક રીતે પડકારજનક છે અને આ દ્રશ્‍યો માટે રોલર કોસ્‍ટર રાઈડ શૂટિંગ રહી છે. અમળતાનું જીવન તે ભારતમાં આવ્‍યા પછી સંપૂર્ણ વળાંક લે છે અને તે પછી તેને પાછળ જોવાનો સમય જ નથી. પોતાના અસલી દાદા- દાદીઓ વિશે શોધી કાઢવાથી લઈને વીરની સચ્‍ચાઈ સાથે રૂબરૂ થવા સુધી અમળતાનું જીવન અણધાર્યા વળાંકો લે છે

(3:24 pm IST)