Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પંચમહાલના શહેરાના હાસાપુરમાં તરછોડાયેલ 15 દિવસનું બાળક મળી આવતા ચકચાર મચી

આ બાળક અસ્થિર મગજની માતાએ જ ત્યજી દિધુ હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાસાપુર ગામે ત્યજી દેવાયેલ 15 દિવસનું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે આ બાળક  અસ્થિર મગજની માતાએ જ ત્યજી દિધુ હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે.  

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાસાપુર ગામનાં કોતર નજીક ઝાડી જાખરીમાં નવજાત શિશુ હોવાનું રાહદારી દ્વારા 108 ની ટીમે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ  108 ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને તરછોડી દીધેલી હાલતમા અંદાજિત 15  દિવસનું બાળક મળી આવ્યું હતું.  108 ની ટીમે બાળકની સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધૂ સરવાર અર્થે શહેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. 

આ તરફ શહેરા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા પોલીસે બાળકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી હતી, પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકના  પિતાને શોધી કાઢ્યા હતાં અને પૂછપરછ હાથ ધરવામાં આવતાં ચોકાવનારી હકિકત સામે આવી હતી.ત્યજી દેવાયેલ બાળક મૂળ ભદ્રાલા ગામના ખાતુભાઈ પગીનાઓનું હોવાનું  સામે આવ્યું છે. પત્ની અસ્થિર મગજના હોવાને કારણે રાત્રિના બે વાગ્યે સમય બાળકને લઈ ઘરેથી નીકળી ગયા હતા.ત્યારબાદ હાસાપુર ગામની સીમમાં આવેલ કોતર નજીક ઝાડી જાખરામાં મૂકી ક્યાંક ચાલ્યા ગયા હતાં.પોલીસે જરુરી કાર્યવાહી બાદ બાળકને તેનાં પિતાને સોંપવાની તજવીજ હાથ ધરી અને બાળકના માતાની પણ શોધ ખોળ શરૂ કરી છે

(1:08 am IST)