Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

એડીશ્નલ કલેકટર કક્ષાના ભાવનગરના (ડીઆરડીએ) એજન્સીના એચ.આર કેલૈયા સહિત જીએએસ કેડરના ૮ અધિકારીઓ બદલાયા

રાજકોટઃ  સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એડીશ્નલ કલેકટર કક્ષા (જીએએસ)લેવલના આઠ અધિકારીઓની અરસપરસ બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે. આ હુકમોમાં  ભાવનગરના ડાયરેકટર ડીસ્ટ્રીકટ રૃરલ ડેવલપમેન્ટ એજન્સીના એચ.આર. કેલૈયાને સુરત ખાતે વધારાના ચૂંટણી અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

અન્ય જે હુકમો થયા છે તેમાં ગાંધીનગરના (ગુજરાત સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સોસાયટી) ના એચ.ટી.યાદવ ગાંધીનગર ખાતે (ડી.આર.ડી.એ. ) વિભાગમાં,ટ્રાન્સપોર્ટ વિભાગના ઓફીસ ઓન સ્પેશ્યલ ડયુટી આર.ટી. ઝાલને ખેડામા ડી.આર.ડી.એ. વિભાગમાં, ગાંધીનગરના ઝોનલ યુનિટ ઇલેકશન ડીવીઝનના  એન.ડી. પરમારને આર.ડી.સી. પાટણ, ઓડાના ડી.કે.પટેલને ડી.આર.ડી.એ. એજન્સીનમાં ભાવનગર, નર્મદા રાજપીપળાના ટ્રાયબલ એરીયાના પ્રોજેકટ એડમીસ્ટ્રેટર આર.વી. બારૈયાને રીજીયોનલ મ્યૂનિસીપલ કમીશ્નર  અમદાવાદ ખાતે બદલવામાં આવ્યા છે.

રૃરલ ડેવલપમેન્ટ ગાંધીનગરના ડેપ્યૂટી કમીશ્નર ડો. એમ.કે.પાટડીયાને ડી.આર.ડી.એ. એજન્સી બોટાદ ખાતે તથા ડી.આર.ડી.એ. બોટાદના બી.એમ.પટેલને ભરૃચ ખાતે ડી.આર.ડી.એ. એજન્સીમાં મુકવામાં આવ્યા છે.

(10:37 pm IST)