Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હિંમતનગરથી રાજસ્થાન જતા નેશનલ હાઇવે રોડ પર ટ્રક-ટ્રેલર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું કમકમાટીભર્યું મૃત્યુ

મોડાસા:હિંમતનગરથી રાજસ્થાન તરફ જતાં નેશનલ હાઈવે રોડ ઉપર શામળાજી પાસે ટ્રક-ટ્રેઈલર અને વેગનઆર કાર સામસામે ટકરાયા હતા.જેથી કારમાં સવાર પાંચ વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી.

એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.જયારે અકસ્માત કરી ટ્રક ટેલર નો ચાલક સ્થળ ઉપરથી નાસી છુટયો હતો.આ અંગે શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ હતી.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ શામળાજી પાસે ટ્રક ટેલરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી  અને બેદરકારીથી ટ્રક હંકારી સામેથી આવતી વેગનઆર ને ધડાકાભેર ટક્કર મારી હતી.જેથી વેગનઆર કારના આગળના ભાગનો કચ્ચાઘાણ નીકળી ગયો હતો.જયારે કાર માં સવાર  ડીવલ પ્રતાપસિંહ રણજીતસિંહ રાઠોડ (રહે.માલાગામજિ.અજમેર)સુરેન્દ્રસિંહ સરવણસિંહ રાઠોડકિસનસિંહ ગોપસિંહ ચૌહાણજોધસિંહ ઉદેસિંહ ચૌહાણ તથા દેવેન્દ્રસિંહ નંદસિંહ ચૌહાણ (તમામ રહે.ચૌહાનુકા ખેડાતા.રાયપુરજિ.ભિલવાડારાજસ્થાન) ને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાં ડીવલ પ્રતાપસિંહ રણજીતસિંહ રાઠોડ(ઉ.વ.21) ને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

(5:28 pm IST)