Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જાણીતા બિલ્ડર બકેરી ગ્રુપના અનિલ બકેરી સહિત 25 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ

નવરંગપુરામાં રહેતી માનસી શાહે અડાલજ પોલીસ સ્ટેશનમાં 25 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

અમદાવાદઃ જાણીતા બિલ્ડર ગ્રુપ બકેરીના અનિલ બકેરી સહિત 25 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ થઇ છે, શહેરના નવરંગપુરામાં રહેતી માનસી શાહે અડાલજ પોલીસ સ્ટેશનમાં 25 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, ફરિયાદીના પિતાએ જે જમીન ખરીદી હતી તે જ જમીન બીજી વખત ખેડૂતે અનિલ બકેરીને વેંચી હતી, માનસી શાહે જણાવ્યું છે કે જમીનનો દસ્તાવેજ ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં પેન્ડિંગ હતો, તેમ છંતા અનિલ બકેરીએ આ જમીન ખરીદીને છેતરપિંડી કરી છે.

નવેમ્બર-2019માં માનસીના પિતાનું અવસાન થયું હતુ, તેમને 2004માં સુઘડ ખાતે 12950 ચોરસમીટર જમીન લીધી હતી, ડુંગરજી ફતાજી સહિતના ખેડૂતોને તેનું પેમેન્ટ પણ આપી દીધું હતુ, જેનો દસ્તાવેજ થઇ ગયો હતો, પરંતુ ડેપ્યુટી કલેક્ટરમાં સ્ટેમ્પ ડ્યૂટીના ડિફરન્સમાં પેન્ડિંગ હતો, તેમ છંતા તેમને ખરીદેલી જમીન ખેડૂતોએ અનિલ બકેરીને ફરીથી વેંચી હતી, જેથી એકની એક જમીન બે લોકોને વેંચવાનો અને બકેરી પર ખરીદવાનો છેતરપિંડીનો કેસ થયો

(12:08 pm IST)