Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં દબાણ હટાવ કામગીરી વેળાએ ઘર્ષણઃ લારી ગલ્લાવાળામાં ભારે આક્રોશ : પોલીસનો હળવો લાઠીચાર્જ

એક પીએસઆઈને સામાન્ય ઈજાઃ પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી

અમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તારમાં મહાપાલિકાની દબાણ હટાવ કામગીરી સમયે લારી ગલ્લાવાળાઓનો આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસે સ્થિતિ કાબુમા લેવા હળવો લાઠી ચાર્જ કર્યો હતો. તેમજ ૧૦થી ૧૨ લોકોની અટકાયત પણ કરી છે. પોલીસ અને લારી ગલ્લાવાળાઓ સાથે ઘર્ષણ સમયે એક પીએસઆઈને સામાન્ય ઈજાઓ થઈ છે.

વસ્ત્રાપુર ખાતે મહાપાલિકાની દબાણ હટવવાની કામગીરી સમયે લારી ગલ્લાવાળાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે મહાપાલિકાના અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ અને એસઆરપી જવાન હાજર હતા. દબાણ હટાવવાની કામગીરી સમયે લારી ગલ્લાવાળાઓએ વિરોધ દર્શાવ્યો.

હોબાળો વધતા પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો. જેમાં પોલીસ અને લારી ગલ્લાઓ વાળા વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ. જેમાં એક પીએસઆઈને સામાન્ય ઈજાઓ થઈ. પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.

(11:36 am IST)